Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી વેપારી મંડળ દ્વારા તા.15મી થી 23મી એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય

  • April 14, 2021 

સુરત જીલ્લાના માંડવી તાલુકામાં દિન-પ્રતિદિન વધતાં જતાં કોરોનાના કેસોને ધ્યાનમાં લઈ માંડવી વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તા.15મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 

 

 

 

સુરત શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે માંડવી તાલુકા અને નગરમાં કોરોનાનું વધતું સંક્રમણને અટકાવવા માટે વેપારી મંડળે મહત્વનો નિર્ણય કર્યો છે અને માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવનાર 15મી એપ્રિલથી 23મી એપ્રિલથી સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે અને ફક્ત આવશ્યક ચીજવસ્તુ જેવી કે, દૂધ-ડેરી અને મેડિકલ સ્ટોર માત્ર ખુલ્લા રાખવા અંગે જણાવ્યુ હતું. માંડવી નગરપાલિકા ખાતે વેપારી મંડળની મિટિંગ મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application