Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાઈફાઈનો વાયર ફિટ કરતા સમયે કરંટ લાગતાં યુવાનનું મોત

  • May 13, 2022 

સુરતનાં કડોદરા ખાતે રહેતા પરપ્રાંતીય યુવાનને વીજ કરંટ લાગતાં મોત નીપજયું હતું. જોકે યુવાન હરીપુરા ગામે વાઈફાઈનો વાયર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરી રહ્યો હતો તે સમયે ઇલેક્ટ્રીક વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે શ્રીનિવાસ રાધે રેસિડન્સીમાં ફ્લેટ નંબર-404માં અને મૂળ બિહારના વતની રણજીતકુમારસીંહ હરીનારાયણસીહ કુશ્વાહા (ઉ.વ.35) રહેતા હતા.



જોકે તેઓ 5 વાગ્યાની આસપાસ હરીપુરા ગામે આવેલ વિધાતા ઇંડસ્ટ્રીઝ વિભાગ-02માં સરસ્વતિ ક્રિએશન બિલ્ડિગની પાછળ ખુલ્લી સી.ઓ.પીની જગ્યામાં નીચે બિલ્ડિગ ઉપરનો વાઇફાઇવ વાળો વાયર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફીટ કરવા વાયર કાઢી ખેચી લઈ જતા હતા.



ત્યારે ત્યા ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રીક 66 KV વાળી હાઇટેંશન લાઇનના તાર સાથે વાયર અડી જતા હાઇટેંશન વાળો કરંટ લાગતા વાયર સાથે સળગી જતા આખા શરીરે ગંભીર રીતે દાજી જતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application