Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંચમાં માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાને કારણે શખ્સનું મોત

  • May 25, 2022 

સુરતનાં કઠોર ગામે આવેલ માનસરોવર રેસીડેન્સીમાં પાંચમાં માળે રહેતો શખ્સ તંબાકુ ખાઈ થુકવા જતાં નીચે પટકાતાં તેનું ગંભીર ઇજાનાં કારણે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં કઠોર ગામની સીમમાં માનસરોવર રેસીડેન્સી બીલ્ડીંગ નંબર-A/2 રૂમ-508માં પાંચમાં માળે રહેતા દીલીપભાઈ મનહરભાઈ ગઢીયા (ઉ.વ.35) કે જેઓ નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.



તેમજ તેઓ મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનાં તાતણીયા ગામના વતની છે. દીલીપભાઈ નાઓ શૈલેષભાઈ પટેલનાં મકાનનાની સામે આવેલ લીફ્ટ માટે બનાવવાની જગ્યા ઉપર તમ્બાકુ ખાઈને થુંકવા માટે ગયા હતા. તે સમયે તેને અચાનક ખેચ આવતા તેનો પગ લપસી જતા તે લીફ્ટની ખાલી જગ્યા ઉપરથી નિચે પડી જતા તેને માંથાના તથા નાકના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application