Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજ કરંટ લાગતાં વાછરડાનું મોત

  • August 26, 2021 

સુરતના બારડોલી તાલુકાનાં તાજપોર ગામે વિજતાર તૂટી પડ્યો હતો. આ જીવંત વિજતારને એક વાછરડું અડી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવ અંગે જાણ થતાં જ જી.ઇ.બી.ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના તાજપોર બુજરંગ ગામની સીમમાં બારડોલી-સરભોણ જતાં માર્ગ ઉપરથી પસાર થતી વીજ લાઇનનો જીવંત વિજતાર તૂટીને નીચે પડ્યો હતો. તે સમયે ચારો ચરી રહેલ એક વાછરડું આ વિજતારને અડી જતાં કરંટ લાગતા તેનું મોત નીપજયું હતું. આ અંગે ગ્રામજનોએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખને જાણ કરતા તેમને જી.ઈ.બી.ના અધિકારીને ઘટનાની જાણ કરી હતી. જેથી જીવંત વિજ તારથી કોઈ મનુષ્ય, પાલતું કે વન્યજીવનું મૃત્યુ ન થાય તે માટે તુરંત વિજપ્રવાહ બંધ કર્યો હતો અને જી.ઈ.બી.ના અધિકારી તેમની ટીમ સાથે તાજપોર બુજરંગ ગામે પહોંચી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application