Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીવંત વિજતાર અડી જતાં ચારો ચરતી ભેંસને કરંટ લાગતાં મોત

  • May 23, 2022 

સુરતનાં કામરેજ તાલુકાનાં ઘલા ગામની સીમમાં ચારો ચરી રહેલ ભેંસને વીજ કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવની વિગત એવી છે કે, કામરેજનાં ઘલા ગામે રામકિશન કોલોની ફળિયામાં રહેતા મંજુબેન સુરેશભાઇ રાઠોડ કે જેઓ મજૂરીકામ સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. જોકે તેઓ તેમની ભેંસને ચારવા માટે ગયા હતા.



તે સમયે નવા બનતા નેશનલ એક્સ્પ્રેસ નજીક દીપાભાઈના ખેતર નજીક ભેંસને ચરાવી રહ્યા હતા. તે સમયે જી.ઇ.બીના જીવંત વિજતાર જમીન ઉપર પડેલ હોય ચારો ચરતી ભેંસ આ વિજતારને અડી જતાં કરંટ લાગતાં 45 હજારની કિંમતની ભેંસનું મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application