Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતારગામમાં દબાણ દુર કરવા ગયેલા સ્ટાફ અને લારીવાળા વચ્ચે ઘર્ષણ

  • October 07, 2021 

કોરોનાની મહામારીને પગલે મોટા ભાગના ગરીબ અને શ્રમિકોના રોજગાર ધંધા અને નોકરીઓ પડી ભાંગી છે ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણા ખરાં શાકભાજી અને ફ્રુટ સહિતનું વેચાણ કરીને બે ટંકનું પેટ ભરવા મજબુર બન્યા છે. આ દરમિયાન ગતરોજ કતારગામ ખાતે ગજેરા સર્કલ નજીક સર્વિસ રોડ પર ફ્રુટનું વેચાણ કરનારા લારીઓનું દબાણ દુર કરવા પહોંચેલા ઝોનના કર્મચારીઓએ મનસ્વી રીતે આ લારીઓમાં મુકવામાં આવેલા સફરજન-સીતાફળ સહિતના ફ્રુટો રસ્તા પર ફેંકી દીધા હતા. જેને પગલે આ લારીવાળાઓને ભારે નુકસાન થવા પામ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં મનપાના દબાણ ખાતાના વિભાગ દ્વારા આ પ્રકારની દાદાગીરી વિરૂદ્ધ ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. બીજી તરફ મનપાના દબાણ વિભાગના સ્ટાફ દ્વારા પણ લારીવાળાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application