Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના હિંડોલીયા ગામે આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • August 07, 2021 

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં હિંડોલીયા ગામે રહેતા 52 વર્ષીય આધેડે સેજવાડ ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં આંબાના ઝાડ સાથે વાયર બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાનાં હિંડોલીયા ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતા ગિરીશભાઈ પરભુભાઈ પ્રજાપતિ (ઉ.વ.52) નાઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક સ્થિતિ બરાબર ન હોય તેમજ તેમના દીકરા-દીકરી કુંવારા હોય જેથી તેમના લગ્નનું ટેન્શન રહેતું હોવાથી તેમણે સેજવાડ ગામે આવેલ પોતાના ખેતરે પહોંચી આંબાના ઝાડ સાથે ઇલેક્ટ્રીક મીટરનો સર્વિસ વાયર બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે તેમના પુત્ર કેવીને બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application