Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : દશામાં વિસર્જન માટે તમામ ઓવારા કરાયા બંધ

  • August 17, 2021 

સુરતમાં વીસ હજાર કરતા વધુ દશામાની પ્રતિમાઓની સ્થાપના થઈ છે. પરંતુ વિસર્જનના એક દિવસ પહેલા તાપી નદીના તમામ ઓવારાને સીલ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પાલિકાએ કૃત્રિમ તળાવ પણ બનાવ્યા ન હોવાથી હવે આ પ્રતિમાનું વિસર્જન ક્યાં કરવું તે ભક્તોની મૂંઝવણ છે. તંત્રએ લોકોને ઘરે કે સોસાયટીમાં જ વિસર્જન કરવા માટે અપીલ કરી છે.

 

 

 

 

છેલ્લા કેટલાક વખતથી તાપી નદી અને તળાવમાં પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ હાલ કોરોનાની સ્થિતિને કારણે મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવ પણ બનાવ્યા નથી. આવી સ્થિતિ વચ્ચે સુરત શહેરમાં વીસ હજારથી વધુ દશામાની પ્રતિમાઓની સ્થાપના થઈ છે. નદી અને તળાવમાં વિસર્જન પ્રતિબંધ અને પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યા નથી તેથી આટલી બધી માત્રામાં પ્રતિમાનું વિસર્જન કરવું તે મુંઝવણ ઉભી થઇ છે. તંત્રએ લોકોને ઘર આંગણે જ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે અપીલ કરી છે. કોર્ટના આદેશનો ભંગ ન થાય તે માટે પાલિકા તંત્રએ તમામ 32 ઓવારા પર બેરિકેડિંગ કરીને ઊભા કરી દીધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application