Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તેન ગામે વાયરિંગનું કામ કરતા યુવકનું કરંટ લાગતાં મોત

  • June 26, 2021 

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં સરભોણ ગામનો યુવક તેન ચાણક્યપુરી સોસાયટીમાં વાયરિંગનું કામ કરી રહયો હતો. તે સમયે કરંટ લાગતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં સરભોણ ગામે રહેતા હીરેનભાઈ મહેન્દ્રભાઈ મિસ્ત્રી (ઉ.વ.35) કે જેઓ વાયરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ તેન ગામ ખાતે આવેલ ચાણકયપુરી સોસાયટીમાં વાયરીંગનુ કામ કરતા હતા. તે સમયે કરંટ લાગતા મોઢાના ભાગે તથા હાથે પગે તથા છાતીના ભાગે દાઝી જતા તેને પ્રથમ સારવાર માટે સરદાર હોસ્પિટલ લઈ ગયેલ અને જ્યાંથી વધુ સારવાર માટે સુરત ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે બારડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application