Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરેલી ગામે પંખો ચાલુ કરવા ગયેલ મહિલાને વીજ કરંટ લાગતાં મોત

  • July 23, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે રહેતી 45 વર્ષીય મહિલા સીલીંગ પંખો ચાલુ કરવા જતાં કરંટ લાગતાં તેનું મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં વરેલી ગામે તુલસીધામ સોસાયટીમાં આવેલ રૂમ નંબર-07માં ભાડાના મકાનમાં રહેતા સુરેશકુમાર હરેન્દ્રભાઈ કુર્મી નાઓ પત્ની સાથે રહે છે. તેમની પત્ની ગુલાબબેન નાઓ ગત તા.20 જુલાઇના રોજ પોતાના રૂમમાં પંખો ચાલુ કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેમનો હાથ વાયરને અડી જતાં તેમને વીજ કરંટ લાગતાં તેમને સારવાર માટે પલસાણા સરકારી દવાખાનામાં લઈ જતાં ત્યાં ફરજ ઉપર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application