Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તૌકતે વાવાઝોડાના કારણે માંગરોલીયામાં વિધવા મહિલાનું મકાન ધરાશય થયું

  • May 20, 2021 

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં માંગરોલીયા ગામમાં એક આદિવાસી વિધવા મહિલાના કાચા મકાનની છતના નળિયા ભારે પવનમાં ઊડી ગયા હતા અને મકાન ધરાશય થઈ ગયું હતું. જોકે, સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

 

 

 

બારડોલી તાલુકાનાં માંગરોલીયા ગામમાં  રેલ્વે ફળિયાના હળપતિ વાસમાં રહેતી, બબલીબેન રાઠોડ નામની વિધવા મહિલાનું કાચું મકાન તૌકતે વાવાઝોડાની અસરને લઈ ધરાશય થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયત દ્વારા હાલ આ મહિલાને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મહિલાનું મકાન તૂટી પડવા અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતમાં લેખિત જાણ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application