Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરિણીતાના આપઘાતમાં પતિ-સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો

  • July 30, 2021 

સુરતના કતારગામ આંબા તલાવડી રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ લગ્નના સવા વર્ષના સમયગાળામા ફાંસોખાઈ આપઘાત કરી લેવાના બનાવમાં પોલીસે પતિ અને સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

કતારગામ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આંબા તલાવડી રોડ સંતોષીનગર સોસાયટીમાં રહેતા હેતલબેન હિરેનભાઈ દેવગમીયા (ઉ.વ.૨૩)એ ઘરેમાં છતના લોખંડના હુક સાથે સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હેતલબેનના પરિવારજનો દ્વારા હિરેન બાબુભાઈ દેવગણીયા અને બાબુભાઈ દામજીભાઈ દેવગણીયા સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે આરોપી હિરને અવાર-નવાર હેતલબેનને બીજે લફરુ હોવાનુ કહી ખોટા શક વહેમ રાખી હેરાન પરેશાન કરી અપમાનિત કરી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી શારીરીક માનસીક ત્રાસ આપતા કંટાળીને હેતલબેને આત્મહત્યા કરી હોવાનુ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application