Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતલ કરવાના ઈરાદેથી લવાયેલ 9 ગૌવંશ ઉગારી લેવાયા

  • June 30, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની હદમાંથી ફરી એકવાર પોલીસે કતલ કરવાના ઇરાદે લવાયેલ 9 ગૌવંશને ઉગારી લીધા હતા. જ્યારે આ ગૌવંશને લાવનાર વ્યક્તિઓ ભાગી છૂટ્યા હતા.  

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળતા તેમને બલેશ્વર ગામની હદના જંગલ વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. તે દરમ્યાન ત્યાં કતલ કરવાના ઇરાદે લવાયેલ 9 ગૌવંશને દોરડા વડે બાંધેલ નજરે પડ્યા હતા અને ઘટના સ્થળેથી પોલીસે આ ગૌવંશને ઉગારી લીધા હતા આજથી 10 દિવસ અગાઉ પણ પલસાણા પોલીસે બલેશ્વર ખાતેથી 10 જેટલા ગૌવંશને ઉગારી લીધા હતા. ઉપરોક્ત ઘટનામાં કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યા ન હતા પલસાણા પોલીસે ગૌવંશનો કબ્જો મેળવી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application