Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : બે બંધ મકાનમાં ચોરીના ઈરાદે ચોરટાઓએ તોડ્યા તાળા

  • August 04, 2021 

સોનગઢ નગરનાં સ્ટેશન રોડ પર આવેલી સાંઈ ટાઉનશીપમાં રહેતા કજરીબેન અરીદમભાઈ પાલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, મારા પિતા બીમાર હતા જેથી ગત તા.14મી જુલાઈ એ ઘર બંધ કરી સુરત ખાતે રહેવા ગઈ હતી અને ત્યારબાદ મારા પડોશીનો ફોન આવ્યો હતો કે, તમારા ઘરના દરવાજા ખુલ્લા છે જેથી કજરીબેન તુરંત સોનગઢ આવી ગયા હતા અને તપાસ કરતા તેમના મકાનના દરવાજાનું તાળું કોઈ અજાણ્યા ચોરએ તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલ કબાટનો લોક તોડી બધો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો પરંતુ ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ ન મળતા ચોરટાઓ ખાલી હાથે પાછા ફર્યા હતા.

 

 

 

 

જયારે બીજા બનાવમાં સર્વોદય નગરમાં રહેતા બિપીનભાઈ દિનેશભાઈ સુખાનંદીના બંધ મકાનના પણ  તાળા તૂટ્યા હતા. પરંતુ ત્યાંથી પણ કોઈ વસ્તુ ચોરાઈ ન હતી જેથી સોનગઢ પોલીસે બનાવ અંગે અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application