Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેવજીપૂરા ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવમાં ગણપતિ પ્રતિમા વિસર્જિત કરાશે, તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો

  • September 18, 2021 

સોનગઢ નગરમાં સ્થાપના કરવામાં આવેલ ગણપતિ બાપ્પાને રવિવારે વિદાય આપવામાં આવશે. આ અંગે નગરમાં નિકળનાર વિસર્જન યાત્રા સંદર્ભે કરવામાં આવેલ તૈયારીને વહીવટી તંત્ર અને પાલિકા દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નગરમાં સ્થાપિત મોટાભાગની ગણપતિ પ્રતિમા દેવજીપૂરા ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવશે. જોકે, આ વર્ષે સ્થિતિ હળવી બનતા હાલમાં કોરોના ગાઈડલાઇનના પાલન સાથે સોનગઢ અને તાલુકામાં અંદાજિત 200થી વધુ ગણપતિ બાપ્પાની મૂર્તિઓની સ્થાપના થઇ છે. નવ દિવસથી પૂજા અર્ચના સાથે ઢોલકની સાથે ગણપતિ મંડપમાં ભક્તોએ બાપ્પાના દર્શન કરી રહ્યા છે.

 

 

 

 

 

જયારે રવિવારે ગણેશ વિસર્જન યાત્રા નિકળશે તે પહેલા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. દેવજીપુરા ઉકાઈ રોડ પર મરાઠી સ્કુલ નજીક પાલિકા પાણી વિભાગના સ્ટાફ દ્વારા અંદાજે 70 બાય 50 ફુટની લંબાઈ પહોળાઈ સાથેનું કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. તળાવમાં હવે બાકી રહેલા અંદાજિત 150 કરતા વધુ ગણપતિ મૂર્તિનું વિસર્જન કરાશે. કોરોના ગાઈડલાઇન પ્રમાણે નગરના મુખ્ય રસ્તા પરથી ઓછાં ભક્તો સાથે વિસર્જન યાત્રા નિકળશે ત્યારે એ રસ્તાઓ પર પૂરતા પ્રમાણમાં વધારાની ફ્લડ લાઈટો ગોઠવવામાં આવનાર છે. આ સાથે જુનાગામ રોડ પાસે આવેલ મસ્જીદ પાસે બે રસ્તાઓને અવરજવર માટે બંધ કરાશે તથા નગરમાં સંવેદનશીલ જગ્યાઓ પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application