વ્યારાના ફડકે નિવાસ માલીવાડ દતકૃપા પાણીની ટાંકી પાસે બે ઘરો તથા એક ઓફિસનું તાળું તોડી અજાણ્યા ચોર ટોળકીએ રૂપિયા ૧૩.૮૮ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, વ્યારા નગરના ફડકે નિવાસ ખાતે રહેતા નરેન્દ્રભાઈ ભગુભાઈ ભુવેચિત્રા તથા પ્રતિકભાઇ કાલીદાસ મીઢોલ્યાના ઘરે તેમજ મારુતિ સ્કેલ ઓફીસમાં તારીખ તા.૧૨ની રાત્રિ દરમિયાન અજાણી ચોર ટોળકી ત્રાટકી હતી. જયારે નરેન્દ્રભાઈ ભગુભાઈ ભુવેચિત્રા તેમજ તેમના પરિવારજનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હોય તે દરમિયાન બંધ મકાનના મુખ્ય દરવાજાને મારેલું તાળું કોઈ સાધન વડે તોડી નાખ્યું હતું. તેમજ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમના કબાટમાંથી સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડ રકમ ચોરી ગયા હતા તથા મારૂતી સ્કેલ ઓફીસમાંથી પણ ચોરી કરવામાં ચોર ટોળકી સફળ રહી હતી. આમ, ચોર ટોળકીએ કુલ રૂપિયા ૧૩,૮૮,૩૩૧/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નરેન્દ્રભાઈ ભગુભાઈ ભુવેચિત્રાએ તારીખ ૧૩-૦૨-૨૦૨૫ નારોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application