ગાંધીનગર નજીક આવેલા દોલારાણા વાસણામાં ખોડીયાર માતાજીના મંદિરમાંથી તસ્કરો દોઢ લાખ રૂપિયાની કિંમતના ચાંદીના છત્તર ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
શહેર નજીક આવેલા દોલારાણા વાસણામાં હરીપુરા બોરીયા ગામના ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે અહીં રહેતા જશુજી બળદેવજી મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કૌટુંબી ભાઈના દીકરાના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે ગોલથરા ખાતે જાનમાં ગયા હતા. લગ્ન પતાવીને તેઓ સાંજના સમયે ઘરે પહોંચ્યા હતા અને ઘરની નજીક આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં આરતી કરવા માટે ગયા હતા. તે દરમિયાન જોયું તો મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા ચાંદીના અલગ અલગ ૧૦ થી વધુ છત્તર જણાના હતા. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેનો કોઈ પતો લાગ્યો ન હતો. આ મંદિર દિવસ દરમિયાન ખુલ્લું જ રહેતું હોય છે તે દરમિયાન તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. બનાવ અંગે ચિલોડા પોલીસ દ્વારા દોઢ લાખ રૂપિયાની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application