Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટ અગ્નિકાંડનાં મુખ્ય આરોપી એમ.ડી.મનસુખ સાગઠીયાની તપાસમાં ACB દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા

  • July 02, 2024 

રાજકોટ અગ્નિકાંડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાથી કરોડોનો ખજાનો એ.સી.બી.ને હાથે લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડને લઈને એસ.આઈ.ટી.ની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠીયાની ઓફિસનું સીલ એ.સી.બી.ની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એ.સી.બી.ને ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.


આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી.મનસુખ સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410 ટકા  વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application