ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી પરત આવી રહેલી બસ સાથે મધ્યપ્રદેશમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જબલપુરમાં સિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણકારી મળતાં તુરંત જ કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જે બસ સાથે અકસ્માત થયો તે સિહોરા પાસે પ્રયાગરાજથી પરત આંધ્રપ્રદેશ તરફ જઈ રહી હતી.
મળતી માહિતી અનુસાર, નેશનલ હાઈવે 30 પર વહેલી સવારે 9:15 વાગ્યાની આસપાસ મોહલા બરગી વચ્ચે નહેર પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક અને ટ્રાવેલર બસ એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application