Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં 30મી એપ્રિલ સુધી 144ની કલમ લાગુ કરાઈ

  • April 12, 2021 

સુરત જીલ્લામાં કોરોનાના સંક્રમણ વધતા સુરત જીલ્લા કલેકટર એ 144ની કલમ લાગુ પાડીને રાત્રીના 8  વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ મુકયાનો આદેશ કર્યો છે.

 

 

 

 

સુરત જીલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. હાલમાં સુરત જીલ્લામાં તહેવારના સમય દરમિયાન બજારોમાં ખુબ ભીડ થાય છે તેમજ હરવા-ફરવાના તથા ખાણી-પીણીની જગ્યાએ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે.

 

 

 

 

આ બધા કારણોસર કોરોનાનુ સંક્રમણ વધુ નહીં ફેલાઇ તે માટે સુરત જીલ્લા કલેકટરે સુરત પોલીસ કમિશ્નરની હદ વિસ્તાર સિવાયના જીલ્લાના ગ્રામ્યમાં સમાવિષ્ટ વિસ્તારમાં આજથી આગામી 30મી એપ્રિલ સુધી રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 144ની કલમ લાગુ કરી દીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application