Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરના વિસ્તારોમાં સેનેટાઇઝીંગની કામગીરી હાથ ધરવામાં આવી

  • April 11, 2021 

વ્યારામાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વ્યારા નગરપાલિકા દ્વારા સેનેટાઇઝીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

 

 

 

 

કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પાલિકાતંત્ર પણ સતર્ક બન્યું છે અને કોરોના સંક્રમણને અટકાવવા વ્યારા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ વ્યારાના વોર્ડ નંબર-2માં માલીવાડ, કણજા રોડ, મરાઠા વાડ, કોર્ટ ફળિયું, ટેકરા ફળિયું જેવા વિસ્તારોમાં સેનેટાઇઝીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાલિકા તંત્રએ નગરનો કોઇપણ વિસ્તાર સેનેટાઇઝીંગથી બાકાત ન રહે તેની તકેદારી રાખી નગરના તમામ વોર્ડના વિસ્તારોમાં સેનેટાઇઝીંગની કામગીરી પૂર્ણ કરાવવી જોઇએ તેવી નગરજનોની લોકલાગણી છે.

 

 

 

 

પરંતુ ફક્ત સેનેટાઇઝીંગ કરવાથી કોરોના સંક્રમણને અટકાવી શકાયએ શક્ય નથી જેથી તમામ લોકોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનું પાલન કરવું જોઈએ અને બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું તેમજ ભીડ-ભાડવાળી જગ્યા પર માસ્ક વગર બિન જરૂરી અવર-જવર નહિ કરી તંત્રને સહકાર આપે તે પણ જરૂરી બન્યું છે. (એમ.એસ.સૂર્યવંશી દ્વારા-વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application