Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાંથી ચોખાની નિકાસ પર અંકૂશ લાવવા દરેક પ્રકારના નોન-બાસમતિ ચોખા પર નિયમનો લાગુ કરાયા

  • October 16, 2023 

દેશમાંથી ચોખાની નિકાસ પર નિયંત્રણ રાખવાના ભાગરૂપ ઉકળા ચોખા પરની નિકાસ ડયૂટી આગામી વર્ષના 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ઘર આંગણે ચોખાનો સ્ટોકસ સાનુકૂળ સ્તરે રાખી ભાવ અંકૂશમાં રાખવાના હેતુ સાથે સરકારે વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ઉકળા ચોખાની નિકાસ પર 20 ટકા એકસપોર્ટ ડયૂટી લાગુ કરી હતી. આ ડયૂટી 16 ઓકટોબર સુધી લાગુ કરાઈ હતી જે લંબાવાઈ છે. દેશમાંથી ચોખાની નિકાસ પર અંકૂશ લાવવા દરેક પ્રકારના નોન-બાસમતિ ચોખા પર નિયમનો લાગુ કરવામાં આવ્યા છે. દેશમાંથી ચોખાની કુલ નિકાસમાં નોન-બાસમતિ વ્હાઈટ ચોખાનો હિસ્સો અંદાજે 25 ટકા રહે છે. ઘર આંગણે પૂરવઠો વધારવા સરકારે જુલાઈમાં નોન-બાસમતિ વ્હાઈટ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે ટૂકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application