વાપી વિસ્તારમાં રહેતી મહિલા તેના પુત્ર સાથે બોરીવલી નંદુરબાર ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. દરમિયાન નવસારી રેલવે સ્ટેશને ટ્રેનમાં પહોંચેલા તસ્કરે વાપીની મહિલાનું ૪૯,૧૫૦ની મતા ભરેલું લેડીઝ પર્સ ચોરી લીધું હતુ.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપીના છરવાડા વિસ્તારમાં આવેલા ચિરાગ રો હાઉસ, ખોડિયારનગર, રૂમ નંબર ૧૭માં રહેતા હેમાંગીબેન નીતિનભાઈ પગારે ગત તા.૨૭-૧૨-૨૪ના રોજ વાપીથી પસાર થતી બોરીવલી નંદુરબાર ટ્રેનના જનરલ કોચમાં બેસી તેમના પુત્ર સાથે નંદુરબાર જવા માટે નીકળ્યા હતા. આ ટ્રેન નવસારી રેલવે સ્ટેશને પહોંચી હતી, તે પહેલા હેમાંગીબેન સૂઈ ગયા હતા. જ્યા સવારે આશરે ૪.૩૦ વાગ્યે હેમાંગીબેને સીટ નીચે મૂકેલું લેડીઝ પર્સ નહીં મળતા, તેણીએ ટ્રેનમાં તપાસ કરી હતી. પરંતુ પર્સ મળ્યું ન હતુ. આખરે તેને પર્સની ચોરી થઈ ગયાનું જણાતા આ બાબતની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકમાં નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500