વ્યારા તાલુકાનાં ભોજપુરનજીક ગામમાં રાત્રિ દરમિયાન પાણી વાળવાની કામગીરી કરતા ખેડૂતોની નજરે વન્યપ્રાણી દીપડો ચઢતા જેઓએ બેટરીનું અજવાળું કરી દીપડાને ભગાડયો હતો. વનવિભાગનાં જણાવ્યા મુજબ, તાપી જિલ્લામાં અવારનવાર દીપડાની અવરજવર જોવા મળતી હોય છે તેમજ તાપી જિલ્લામાં વન્યપ્રાણી દીપડાઓ હવે ખેતરો તેમજ ગામની સીમમાં વસવાટ કરતા થયા છે. વ્યારા તાલુકાનાં ભોજપુરનજીક તેમજ આસપાસના ગામોમાં ખળભળાટ મચાવ્યો છે.
રાત્રિ દરમિયાન પાણી વાળવા ખેતરોમાં એકલા જતા ખેડૂતો માટે જોખમનાં મંડાણ થયા છે. ભોજપુરનજીક ગામમાં દીપડોને ખેડૂતોએ જોતા જેઓએ સતત જેના ઉપર બેટરીનું અજવાળું કરતા દીપડો ભાગી ગયો હતો. વન વિભાગ દ્વારા પાંજરાની ગોઠવણ કરી તાકીદે વન્યપ્રાણીને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ છે. વ્યારા વન વિભાગના ડી.એફ.ઓ.એ જણાવ્યું હતું કે જેમાં ૭૫ ટકા દીપડા જંગલ વિસ્તારમાં રહે છે જ્યારે ૨૫ ટકા જાનવરો જંગલ વિસ્તારની આસપાસનાં ગામોમાં રહે છે. જ્યાં પણ દીપડા જોવા મળે છે ત્યાં પાંજરાની ગોઠવણ કરવા સાથે દીપડાની હિલચાલ કેદ કરવા કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે. લોકોને વન્યપ્રાણીથી બચવા માટે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application