રાજકોટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના નાકરાવાડી નજીક આવેલી વેફર બનાવતી કંપની આગ લાગતાં અફરા-તફરી મચી જવા પામી છે. વહેલી સવારે 9:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ વિકરાળ હોવાથી દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application