Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહનની અડફેટે આવતા યુવકનું મોત

  • November 10, 2021 

સુરતના પલસાણા ખાતે મુંબઈથી અમદાવાદ જતાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક યુવકને અડફેટે લેતા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં કડોદરા ખાતે સંજીવની હોસ્પિટલની પાછળ તિરુપતિ રોહાઉસમાં રહેતા સંતોષકુમાર મોરારીલા શ્રીવાસ્તવ જે પલસાણા ખાતે સાઈ ભોજનાલય નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેમની દુકાને રોહિત રામપ્રસાદ કેવટ (રહે.પલસાણા) નોકરી કરે છે.

 

 

 

 

પરંતુ જેને દારૂ પીવાની ટેવ હોવાથી તેને નોકરી ઉપરથી છૂટો કર્યો હતો જેથી તે ગત તા.7 નવેમ્બરના રોજ પલસાણા વિકાસ મિલની બાજુમાં મુંબઈથી અમદાવાદ જતાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો હતો આ સર્જાયેલા અકસ્માતમાં રોહિતને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application