Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જોળવા ગામના ઈસમનું પાણીમાં ડૂબી જવાથી મોત

  • October 21, 2021 

સુરતના પલસાણા તાલુકાનાં જોળવા ગામે સાઈ આંગન સોસાયટી ખાતે રહેતા રામચંદ્ર સોનવણે (ઉ.વ. 41, મૂળ રહે.અમલનેર, તા.જલગાંવ, મહારાષ્ટ્ર) જે ગત તા.17મી ઓક્ટોબરના રોજ ઘરેથી ગુમ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. તે દરમ્યાન ડાંભા ગામે તેમની તસવીર બતાવતા જાણવા મળ્યું હતું કે, ડાંભા ખરભાસી રોડ નજીકથી પસાર થતી કેનાલમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે. આથી પરિવારજનો કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં લાશ અધિકારની જ હોવાની ઓળખ થઈ હતી. જયારે મૃતક કોઈ કારણોસર નહેરના પાણીમાં ડૂબી ગયો હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application