Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના આ ગામમાં 12 વર્ષીય સગીરાએ કર્યો આપઘાત

  • August 14, 2021 

સુરતના ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં સુગર રોડ પર આવેલ સિદ્ધિ રેસિડેન્સીના મકાન નંબર-11માં રહેતી વિધવા પલટી મશીન ચાલવાનું કામ કરી પોતાનું તથા 2 દીકરીઓનું ગુજરાન ચલાવે છે. ગત તા.12મી ઓગસ્ટના રોજ સાંજના સમયે માતા મહાવીર્યા બજારમાં ખરીદી કરવા તથા દવા લેવા જતી હતી.

 

 

 

 

તે દરમિયાન બંને દીકરીઓ સાથે જવા માટે જીદ કરતી હતી. પરંતુ માતા નાની દીકરી અર્પિતાને જ સાથે લઈ ગઈ હતી, જેથી તે સમયે અંકિતા રામસેવક પંચા નિશાદ (ઉ.વ.12) એ માતા ઉપર ઉપર રોષ ઠાલવ્યો હતો કે, તુ મને કેમ નહિ લઈ ગઈ તેમ જણાવી મન દુઃખ લાગીએ આવ્યું હતું. ત્યારબાદ માતા બજારમાં ગઈ હતી તે સમય દરમિયાન અંકિતા ઘરની રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની જાણ માતાને બજારમાંથી પરત આવી ત્યારે થઈ હતી જેથી તેને ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application