Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાના દર્દીની સમયસર સારવાર માટે 108ની નવી 11 એમ્બુલન્સ દોડશે

  • April 13, 2021 

સુરતમા કોરોનાની સંક્રમણ ની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જ જાય છે તો આવા સમયે કોરોના સંક્રમિત દર્દીની સમય પર સારવાર તથા શિફ્ટીંગ માટે 108ની વધુ 11 એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી છે.શહેરમાં કોરોના વકરતા વિવિધ વિસ્તારમાંથી 108 એમ્બુલન્સમાં રોજના 300થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓને સ્મીમેર અને નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ખસેડાઇ રહ્યા છે.

 

 

 

 

 

સુરતમાં 108ની 26 એમ્બ્યુલન્સ 24 કલાક સતત દોડતી રહે છે છતા પણ  દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી શકતા નથી.તેથી 108ની વધુ 11 એમ્બ્યુલન્સ પણ સેવા આપશે જેથી દર્દીને હોસ્પિટલમાં સમયસર ખસેડાઈ તેને સારવાર મળી શકે.આ સાથે સુરતમાં 108ની 39 એમ્બ્યુલન્સ દર્દી માટે દોડતી થઇ ગઇ છે.શહેરના લિંબાયત, કતારગામ, પાંડેસરા સહિત જરૃરિયાત મુજબ લોકેશન પર બે ગાડી મુકવામાં આવશે એવું સુરત 108ના ઓફિસર ફૈયાઝ પઠાણે કહ્યુ હતુ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application