Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના રાનવેરી ગામના યુવક ની ઘાતકી હત્યા, કોથળામાં વીંટી લાશ ફેંકી દેવાઈ

  • February 22, 2021 

વાલોડ તાલુકાના રાનવેરી ગામ પાસેથી ઘાતકી હત્યા કરાયેલી લાશ કોથળામાં વીંટળાયેલ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસ ને જાણ થતા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

 

 

 

 

 

મળતી માહિતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના રાનવેરી ગામના નિશાળ ફળિયા માંથી પસાર થતો કણજોડ મેન રોડથી ડુમખલ ચૌધરી ફળિયા તરફ જતા રોડની બાજુમાં આજે સવારના અરસામાં એક ઈસમ ને માથાના ભાગે કોઈ હથિયાર વડે ઘા કરીને લાશને વીંટાળી એક કોથળામાં ભરી રસ્તાની બાજુમાં નાખી ગયેલ હોવાની જાણ વાલોડ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોચી લાશનો કબજો લઈને પીએમ ની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

પોલીસ તપાસમાં મારનારા યુવક કિશન ઉર્ફે ક્રિષ્ના લક્ષમણ ભાઈ ચૌધરી (ઉ.વ.27) રહે,રાનવેરી,નિશાળ ફળિયું તા.વાલોડ.જી.તાપી ના હોવાનું માલુમ પડતા મરણ જનાર યુવકની માતા પાર્વતીબેન લક્ષ્મણભાઈ ચૌધરી ની ફરિયાદને આધારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ઈપીકો કલમ 302,201 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application