Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના બામણવાડામાં દીવાલ ધરાશાયી થતા માતા-પુત્રનું મોત નિપજ્યું

  • January 18, 2025 

નવસારીના ચીખલી તાલુકાના બામણવાડા નાયકીવાડ ફળિયામાં ગુરુવારના રોજ વર્ષો જૂના સરકારી આવાસની દીવાલ અચાનક ધરાશાયી થતા બાજુમાં બેઠેલા માતા અને પુત્રનું દીવાલના કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના બામણવાડા નાયકીવાડ ફળિયા ખાતે રહેતા પરેશભાઈ પ્રતાપભાઈ પટેલ પોતાનું નવું મકાન બનાવે છે અને બપોરના સમયે ૧૧:૩૦થી ૧૨ વાગ્યાના અરસામાં પરેશભાઈ (ઉ.વ.આ.૫૫) અને તેની માતા ગુલબીબેન પટેલ (ઉ.વ.આ.૭૫) બન્ને સાથે જમવા બેઠા હતા તે દરમિયાન વર્ષો જૂના સરકારી આવાસની દીવાલ અચાનક ધરાશાયી થતા દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આમ, પોલીસે ઘટના સ્થળ ઉપરથી માતા-પુત્રની લાશનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application