ઓલપાડ તાલુકાનાં શેરડી ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાં વડોદરાના એક શ્રમિકે તેની પત્ની સાથેના ઘરકંકાસથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુળ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનો વતની ધર્મેન્દ્રસિંહ દિપસિંગ ગોહિલ (ઉ.વ.૩૫)હાલમાં સુરત શહેરમાં કોસાડ રોડ ઉપર આવેલી માનસરોવર સર્કલ નજીક વિશ્વનગર સોસાયટીમાં રહી મજુરી કામ કરતો હતો. ધર્મેન્દ્રસિંહ અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ થઈ રહ્યો હતો. આ કંકાસના કારણે તેની પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. જેથી ધર્મેન્દ્રસિંહને ખોટું લાગી આવતા તેણે ગત શનિવાર નારોજ સવારે ઓલપાડ તાલુકાના શેરડી ગામે સર્વે નં.૫૮/અ/૧ વાળા વિનોદ ખંડુભાઈ પટેલના ખેતરમાં ઝેરી દવા પી જતાં તેનું મોત થયું હતું. આ બાબતે મૃતક પુત્રના વૃદ્ધ પિતા દિપસિંગભાઈ ગોહિલે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application