ભારત, ચીન અને નેપાળમાં ગતરોજ મોડી રાતે 1.57 વાગે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જોકે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર નેપાળ હતુ. સૌથી વધારે તબાહી નેપાળમાં મચી છે. ત્યાં ડોટીમાં એક ઘર ધરાશાયી થતા 6 લોકોનાં મોત નીપજ્યા છે.
જયારે 5 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને ડોટીમાં 6.6 તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા અનુભવાયા તેમજ મૃતકોમાં એક જ પરિવારનાં 3 લોકો સામેલ છે. ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળમાં સેના રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. ઉત્તરાખંડનાં પિથૌરાગઢમાં આજરોજ સવારે 6.27 વાગે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. જેની તીવ્રતા 4.3 હતી.
જોકે ગતરોજ મોડી રાત્રે દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં લગભગ ભૂકંપનાં આંચકા આવ્યા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. મધ્યરાત્રિએ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભારતમાં નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડનાં પિથૌરાગઢ નજીક સૌથી વધુ 6.3ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા અનુભવાયા આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનુ કેન્દ્ર પિથૌરાગઢથી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતુ.
ભારતમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. લખનૌમાં પણ આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી. USGS અનુસાર ભૂકંપનુ કેન્દ્ર નેપાળમાં દિપાયલથી 21 કિમી દૂર હતુ. અહીં ગતરોજ મોડી સાંજે પણ બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા 4.9 અને 3.5 હતી. અગાઉ ઉત્તરાખંડમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમે ભૂકંપ વાળા રાજ્યોમાંથી જાણકારી મેળવી છે. અત્યાર સુધી દિલ્હી-NCR, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં જાનહાનિના સમાચાર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application