વલસાડનાં ઓવાડા ગામે દીપડાએ એક પશુપાલકનાં પાળેલા બળદનો શિકાર કર્યો હતો. જ્યારે કેવાડા ગામે દીપડાએ રખડતા બળદને ફાડી ખાધો હતો. આ ઘટનાથી ગામનાં રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકામાં ખોરાકની શોધમાં ફરતા દીપડાઓ હવે જંગલમાંથી રહેણાક વિસ્તારો સુધી આવી રહ્યા છે.
જેને કારણે માનવ વસ્તીમાં ફફડાટ ફેલાયો છે. વલસાડનાં ઓવાડા નિશાળ ફળિયામાં શનિવારે રાત્રે દીપડો ત્રાટક્યો હતો. નિશાળ ફળિયામાં અચાનક ત્રાટકેલા દીપડાએ ફળિયામાં એક પશુપાલકે તેમના ઘરની પાછળના ભાગે બાંધેલા પાળેલા બળદનો શિકાર કર્યો હતો. જયારે બીજા બનાવમાં ઓવાડા ગામને અડીને આવેલા કેવાડા ગામે દીપડાએ એક રખડતા બળદનો શિકાર કર્યો હતો. એક જ રાતમાં બે અલગ-અલગ ગામોમાં બે પશુઓને દીપડાએ ફાડી ખાતા બંને ગામોના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ વલસાડ વન વિભાગને કરાતા, વન વિભાગે બન્ને સ્થળે પાંજરું ગોઠવવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application