Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના અજવાર ગામના વિસ્તારમાં 90 પરિવારોને કરૂણાકીટનું વિતરણ કરાયું

  • May 09, 2021 

સોનગઢ તાલુકાના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ અજવાર ગામના પરિવારો અને ત્યાં બહારથી આવીને રહેતા અને વાંસકામ સાથે જોડાયેલા કોટવાળીયા પરીવારોને  Covid-19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ  તા.9મી મે રવિવાર નારોજ  'લોક પરબ' દ્વારા બીજલબેન જગડ-ઘાટકોપર થાણા, ડીસ્ટ્રીકટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઇ અને જીપુના વિશાલ ગડા, રૂપલ કામદાર, પારુલ માણેક, ફાલ્ગુની છેડા, ભરત પટેલ ,અતુલ મસ્કાઈના સહયોગથી કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

કરૂણાકીટમાં ખાંડ, ઘઉં, ચોખા, મસુરદાળ, મગ, તેલ, ચણાદાળ, જુવાર, હળદર અને તેલ આપવામાં આવ્યું હતું.જેમાં રાહુલભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી અને જેતસીભાઈ ગ્રામશિલ્પીના હસ્તે 90 પરિવારોને જેટલા કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઇ લાભાર્થીઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application