Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટોક કરેલી ડુંગળીનાં વેચાણમાં થયેલા વધારાથી ભાવમાં ઘટાડો

  • November 21, 2022 

વિવિધ બજારોમાં ખરીફ સિઝનની નવી ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. જેના કારણે ડુંગળીનાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. સ્ટોક કરેલી ડુંગળીનાં વેચાણમાં થયેલા વધારાથી પણ ભાવમાં નરમાઈને વેગ મળ્યો. સપ્તાહ દરમિયાન મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રની લાસણગાવ મંડીમાં ડુંગળીનાં ભાવ રૂપિયા 800-2800થી ઘટીને રૂપિયા 600-2200 અને દિલ્હીનાં આઝાદપુર મંડીમાં રૂપિયા 700-2700થી રૂપિયા  625-2250 પ્રતિ ક્વિન્ટલ થયા છે. દિલ્હીનાં રીટેલ બજારમાં ડુંગળીની સરેરાશ કિંમત એક સપ્તાહમાં 38 રૂપિયાથી ઘટીને 30 રૂપિયા અને મુંબઈમાં 39 રૂપિયાથી ઘટીને 37 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.




ઇન્ડિયન વેજીટેબલ પ્રોડક્યુસર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, નવી ખરીફ ડુંગળી બજારમાં આવવા લાગી છે. આ સાથે ભાવ વધારાને કારણે ખેડૂતો અને વેપારીઓએ સ્ટોક કરેલી ડુંગળી વેચવાનો આગ્રહ રાખ્યો હતો. આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બજારમાં ડુંગળીનાં ભાવમાં ઘટાડો થયો છે. બીજી તરફ ખરીફ સિઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં જો સ્ટોક કરેલી ડુંગળીનું દબાણ ઘટશે તો ડુંગળીના ભાવ ફરી વધી શકે છે. ડુંગળીનાં વેપારીઓએ જણાવ્યું કે, હલકી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ વધુ નીચે આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News