Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નગરકેશરી : સ્વ.ડો.મહેન્દ્ર શાહની સ્મૃતિમાં નિર્મિત સ્મારક વિકાસઘાટનું આગામી 14મી માર્ચે લોકાર્પણ

  • March 10, 2021 

વ્યારા ના સ્વાપ્નદૃષ્ટા અને વ્યારા નગરના લોકો એ જેમને નગરકેશરી નું બિરૂદ આપેલું તેવા સ્વ. ડો.મહેન્દ્ર શાહ ની સ્મૃતિમાં તેમની યાદગીરરૂપે એક સ્મારક બનાવી તેમને સાચી અંજલિ આપવાનું તેમના દેહવસન સમયે નક્કી કરવામાં આવેલ હતું જે આજે સાકાર થઈ જનકસ્મારક હોસ્પિટલના પટાંગણમા શોભી રહ્યું છે.

 

 

 

 

 

સ્મારક ને વિકાસઘાટ નામ આપવામાં આવ્યું 

આ સ્મારક આગામી રવિવારના 14 માર્ચ નારોજ અગ્રણીઓની હાજરીમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સ્મારક ને વિકાસઘાટ નામ આપવામાં આવ્યું છે.

 

 

 

 

વ્યારાને વિશ્વ ફલક પર મુકનાર ડો.મહેન્દ્ર શાહની યાદગીરરૂપે બનાવેલ આ સ્મારક માં સુંદર બગીચો અને બેસવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેમજ પોતાના જીવન દરમિયાન તેમણે કરેલા સુંદર કર્યો ની ઝલક પણ છબીઓ રૂપે અંકિત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application