ગાંધીનગરમાં ઇન્દિરા બ્રિજથી રાજસ્થાનની મહિલાને રીક્ષામાં બેસાડીને ગઠિયાઓ દ્વારા તેમના થેલામાં રહેલા ૧.૮૦ લાખ રૂપિયાની ચોરી કરી લેવામાં આવી હતી અને મહિલાને કેનાલ પાસે ઉતારી દેવાય હતી. બનાવ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના જાલોર જિલ્લાના ભેમપુરા ગામમાં રહેતા ચંપાદેવી મોહનલાલ સોલંકી ગત ૧૯ ફેબુ્રઆરીના રોજ તેમના માસીના ઘરે ગાંધીનગર આવવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓ કાલુપુર રેલવે સ્ટેશનથી ઉતરીને ઇન્દિરા બ્રિજ પહોંચ્યા હતા અને ત્યાંથી એક રીક્ષામાં ગાંધીનગર પથિક આશ્રમ આવવા માટે બેઠા હતા. આ દરમિયાન રિક્ષામાં સવાર ગઠિયાઓ દ્વારા તેમના થેલામાંથી ૧.૮૦ લાખ રૃપિયા ચોરી લીધા હતા અને ત્યારબાદ તેમને નર્મદા કેનાલ પાસે ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી તેમને શંકા જતા થેલામાં તપાસ કરી હતી અને તેમાંથી ૧.૮૦ લાખ રૂપિયા જણાયાના હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને આ બાબતે પરિવારજનોને જાણ કર્યા બાદ ઈન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application