Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં એક પરણિતાએ 3 માસના લગ્ન જીવન બાદ પાંચમાં માળેથી કૂદી આતામ્હત્યા કરી

  • December 15, 2021 

બારડોલીના ગાંધી રોડ પરના એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય પરણિતા લગ્નથી ખુશ ન હોવાથી 3 માસના ટૂંકા લગ્ન જીવનમાંજ એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી કૂદી જીવન ટુકાવતા ચકચાર મચી છે. બનાવની વિગત એવી છે કે, રોઝી નસિમ અન્સારી મૂળ ઉત્તર પ્રદેશ માતા પિતા સાથે રહેતી હતી ત્યાં તેના લગ્ન બારડોલીના ગાંધીરોડ પર આવેલા આશિયાના નગરના બિલાલ ટાવરમાં પાંચમાં માળે રહેતા ગુલસીતાબ શૌકત અલી અન્સારી સાથે ગત તા.2/9/2021ના રોજ થયા હતા. રોઝી લગ્ન બાદ શૌકત અલી અન્સારી સાથે બારડોલી સાસરીમાં રહેવા આવી હતી.પરંતુ વારંવાર પિતાના ઘરે જવાની જીદ કરતી હતી. લગ્નના થોડા દિવસ બાદ રોઝીની પિયર જવાની જિદને લીધે શૌકત અલી તેને ઉત્તરપ્રદેશ તેના ગામ પિતા પાસે થોડા દિવસ રહેવા માટે મૂકી આવ્યા હતા. બાદમાં રોઝીના માતા પિતા સાથે વાતચીત થયા બાદ શૌકત અલી ફરી પત્ની રોઝીને લેવા માટે ગયા હતા. ત્યારે પણ રોઝીએ બારડોલી ગમતું ન હોવાનું જણાવી બારડોલી આવવાનું ના જ કહ્યું હતું. જોકે, માતાપિતા તેમજ સગા સબંધી સમજાવતા રોઝી બારડોલી સાસરીમાં તો આવી પરંતુ પિતાના ઘરે જવાની જીદ ચાલુ જ રાખી હતી. જેથી એક માસ અગાઉથી પિયર ન મૂકી આવો તો આત્મહત્યા કરી લેવાની ધમકીઓ પણ રોઝી આપતી હતી. ત્યારબાદ શોકત અલીએ પોતાના સાસરાને હકીકત જણાવી રોઝીને અહી નથી ગમતું તો કઈક રસ્તો કરીએ એમ પણ જણાવ્યુ હતું.જોકે સસરાએ પણ કહ્યું કે એ તો ધીમે-ધીમે સેટ થઈ જશે. પરંતુ મંગળવારના રોજ બપોરના સમયે રોઝીએ પોતાના ઘરે પાંચમાં માળેથી મોતની છલંગ લગાવી હતી જોકે આસપાસના લોકો તાત્કાલિક સારવાર અર્થે રોઝીને હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું. ઘટના અંગે બારડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application