Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દહેરાદૂન સહિત સાત જિલ્લામાં આગામી 24 કલાક અતિ ભારે વરસાદની આગાહી : સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓને કેદારનાથ જતાં અટકાવવામાં આવ્યા

  • June 25, 2023 

દેશના મોટા ભાગના રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. ઉત્તરાખંડમાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે. આજે ઉત્તરાખંડના પહાડી અને મેદાની વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે. વરસાદનાં કારણે કેદારનાથ યાત્રામાં વિક્ષેપ પડ્યો. સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે. બીજી તરફ, ઉત્તરકાશીમાં, જ્ઞાનસુ પદુલી વિસ્તારમાં ગતરોજ સવારનાં વરસાદને કારણે ભૂસ્ખલનમાં એક રહેણાંક મકાન પર પણ જોખમ ઊભું થયું છે.



આ અંગે અસરગ્રસ્તોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. અસરગ્રસ્ત પરિવારે જણાવ્યું કે, તેમના ઘરને જોડતો રસ્તો પણ તૂટી ગયો છે. દેહરાદૂનનાં હવામાન કેન્દ્રના નિર્દેશકના જણાવ્યા અનુસાર, ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને, રવિવારથી દહેરાદૂન સહિત સાત જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન દેહરાદૂન, ટિહરી, પૌરી, ચંપાવત, પિથોરાગઢ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News