Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આમલદી ગામમાં 75 પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું

  • April 11, 2021 

સોનગઢ તાલુકાના આમલદીમાં જરૂરિયાતમંદ 75 પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

સોનગઢ તાલુકાના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ આમલદી ગામના પરિવારો અને ત્યાં બહારથી આવીને રહેતા તેમજ વાંસકામ સાથે જોડાયેલા કોટવાળીયા પરીવારોને  કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ  આજરોજ એટલે કે,રવિવારના ના રોજ  'લોક પરબ' દ્વારા બીજલબેન જગડ-ઘાટકોપર થાણા,ડીસ્ટ્રીક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઇ અને જીપુના વિશાલ ગડાના સહયોગથી કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

કરૂણાકીટમાં ખાંડ,ઘઉં, ચોખા, મસુરદાળ, ચણાદાળ, જુવાર, હળદર અને તેલ આપવામાં આવ્યું હતું. જેમાં રાહુલભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી અને જેતસીભાઈ ગ્રામશિલ્પીના હસ્તે 75 પરિવારોને કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application