Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી જનરલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડનું મોત

  • March 21, 2021 

વ્યારાના જેતવાડી ગામ પાસે રોકડીયા હનુમાનજીના મંદિર સામે કેનાલના પાણીમાં ન્હાવા માટે જતા વ્યારાની જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હોવાનો બનાવ પપોલીસ મથકે નોધાયો છે.

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના નિશાણાગામના આમજી ફળીયામાં રહેતો સંજયભાઈ મોહનભાઈ ગામીત (ઉ.વ.34) નાનો વ્યારાની જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોય તા.20મી માર્ચ નારોજ નોકરી પરથી ઉતરી જેતવાડી થી મગરકુઈ તરફ જતી પાણીની કેનલમાં જેતવાડીગામની સીમમાં આવેલ રોકડીયા હનુમાનજીના મંદિરની સામે કેનાલમાં ન્હાવા માટે જતા કેનાલના પાણીમાં ડૂબી જવાથી તણાઈ જતા સંજય ગામીતનો મૃતદેહ ઘેરીયાવાવ ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાંથી મળી આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે મનોજભાઈ મોહનભાઈ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application