Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળના આંકડોદ ગામે બંધ ઘરનો દરવાજાનો નકૂચો કટરથી કાપી દાગીના ચોરી ચોર ટોળકી ફરાર

  • February 06, 2025 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંકડોદ ગામે ચોર ટોળકીએ બંધ ઘરનો દરવાજાનો નકૂચો કટરથી કાપી સોનાના દાગીના અને રોકડ મળી ૭૦ હજારની ચોરી કરી નાસી ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આંકડોદ ગામના ટેકરી ફળિયામાં રહેતા મોલાના દાઉદ ઈસ્માઈલ કાઝી ઘર બંધ કરી તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ ચોર્યાસી તાલુકાના ભારોદરા ગામે રહેતી તેમની પુત્રી સાલેહા હનીફ અસ્વાતને ત્યાં આવી ગયા હતા.


આ દરમિયાન રાત્રે ચોર ટોળકી તેમના બંધ ઘરને નિશાન બનાવી હતી. ઘરના દરવાજાનો નકૂચો કટર વડે કાપી ચોરો ઘરમાં પ્રવેશી ચાર તોલાની સોનાની ૨ બંગડી અને અડધા તોલાની એક વીંટી તેમજ રોકડા રૂપિયા ૭૦,૦૦૦/-ની ચોરી કરી નાસી ગયા હતા. તેમજ ગામના તેમના બીજા ઘરમાં રહેતો તેમનો પુત્ર સુફિયાન સવારે ઘરે પાર્કિંગમાંથી કાર લેવા માટે આવ્યો હતો. આ સમયે તેણે ઘરના દરવાજાનો લોક તૂટેલી હાલતમાં જોયો હતો જેથી આ ઘટનાની જાણ તાત્કાલિક તેમણે માંગરોળ પોલીસને કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો ખોલી તપાસ કરતા ચોરી થયાનું બહાર આવ્યું હતું. થોડા સમય પહેલા તસ્કર ચોર ટોળકી આ ઘરને નિશાન બનાવ્યું હતું અને ફરી બીજી વાર ચોરીનો બનાવ બનવા પામ્યો છે. બનાવ અંગે માંગરોળ પોલીસને ફરિયાદ કરાતા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application