Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણામાં વેપારીને મકાનનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા ૨૪.૭૯ લાખની છેતરપીંડી

  • December 31, 2020 

પુણા પાટીયા અભિષેક રેસીડેન્સીમાં રહેતા વેપારી સાથે મકાનના નામે રૂપિયા ૨૪.૭૯ લાખની ઠગાઈ થઈ છે. પડોશી અગ્રવાલ પિતા-પુત્રઍ મકાનના પૈસા પડાવી લીધા બાદ દસ્તાવેજ બનાવી નહી આપી વતન રાજસ્થાન ભાગી ગયા હતા. પોલીસે વેપારીની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

 

 

 

પુણા પોલીસના જણાવ્યા મુજબ પુણા પાટીયા અભિષેક રેસીડેન્સીમાં રહેતા હરીશભાઈ દેવારામ પરીહાર(ઉ.વ.૩૨) વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. હરીશભાઈએ ગઈકાલે અભિષેક રેસીડેન્સીમાં જ રહેતા અભિનવ જવાહરલાલ અગ્રવાલ અને તેના પિતા જવાહરલાલ અગ્રવાલ સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં હરીશભાઈએ જણાવ્યું હતું કે આરોપી અગ્રવાલ પિતા-પુત્રએ સન ૨૦૧૭માં તેમના ફ્લેટનો સોદો કરી સાટાખત કરી આપ્યા હતા. મકાન પર લોન ચાલતી હોવાથી આરોપીઓએ શરૂઆતમાં હરીશભાઈ પાસેથી લોનના બેન્કમાં જમા કરવાના બહાને રૂપિયા ૧૫,૫૦,૦૦૦ પડાવી લીધા હતા જોકે પૈસા બેન્કમાં જમા નહી કરાવી પોતાના અંગત કામોમાં વાપરી નાંખ્યા બાદ બાકી હપ્તા ટુકડે-ટુકડે કરી રૂપિયા ૯,૨૯,૯૯૬ બેન્કમાં ભરાવડાવ્યા હતા. આ રીતે અગ્રવાલ પિતા-પુત્રએ કુલ રૂપિયા ૨૪,૭૯,૯૯૬ પડાવી લીધા બાદ મકાનનો દ્સ્તાવેજ કરી નહી આપી  પોતાના વતન રાજસ્થાન ભિલવાડા ખાતે નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે હરીશભાઈની ફરિયાદ લઈ અગ્રવાલ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application