Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંધ્રપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુને ભ્રષ્ટાચારનાં કેસમાં મળી રાહત, કોર્ટે ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા

  • October 31, 2023 

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તારીખ 9 સપ્ટેમ્બરના રોજ સીઆઈડીએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. જે કલમો હેઠળ એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે તેમાં તેમને જામીન મળવા મુશ્કેલ હતા. મળતી માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે તારીખ 31 ઓક્ટોબર 2023 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને TDP ચીફ એન.ચંદ્રબાબુ નાયડુને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપીને રાહત આપી હતી. તેને 52 દિવસ બાદ મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન મળ્યા છે. Skill Development Caseમાં રાજ્ય પોલીસે તેમની ધરપકડ કરી હતી.



આ એક એવી યોજના છે જેમાં યુવાનોને હૈદરાબાદ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે ઉદ્યોગોમાં કામ કરવા માટે જરૂરી કૌશલ્ય તાલીમ આપવા માંગતી હતી. આ માટે ખાનગી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે,આ યોજના હેઠળ છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં રાજ્ય સરકારે કુલ ખર્ચના 10 ટકા એટલે કે કુલ રૂ.370 કરોડ ખર્ચ કરવાનો હતો. કહેવામાં આવ્યું હતું કે, આ પૈસા શેલ કંપનીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ આરોપોના આધારે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પૈસાની હેરાફેરીમાં પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, શેલ કંપનીઓ બનાવીને તેમને નાણાં ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજોનો પણ નાશ કરી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News