Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી ફાટક નજીક ડ્રેનેજનાં ખોદકામથી વાહન ચાલકોને મુશ્કેલી

  • May 15, 2022 

નવસારીમાં રેલવે ફાટક વિસ્તારમાં રેલવે ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ ડ્રેનેજ શિફટીંગ કરવાની પણ જરૂરિયાત છે. આ ઉપરાંત વિજલપોર વિસ્તારના ડ્રેનેજના પાણીના નિકાલ માટે પણ ડ્રેનેજ લાઈનમાં સુધારણા જરૂરી છે. આ બાબતોને લઈ ડ્રેનેજની કામગીરી રેલવે ફાટક વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. રેલવે ફાટક વિસ્તારમાં (પશ્ચિમે) કામગીરી શરૂ કરવામાં આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અસરગ્રસ્ત થઈ રહ્યાં છે.



જોકે, વાહન ચાલકોને વધુ મુશ્કેલી નહીં પડે અને ટ્રાફિક નિયમન જળવાય તે માટે પાલિકા સહિત સંબંધિત વિભાગની રજૂઆત ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત રેલવે ફાટકથી જલાલપોર તરફ જતો રસ્તાને ‘પ્રતિબંધિત રૂટ’ જાહેર કર્યો છે, સાથે વૈકલ્પિક રૂટ તરીકે જલાલપોર તરફ જવા માટે મેઈન રોડથી રેલવે ગરનાળા અંડરપાસથી જઈ શકાશે એમ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application