Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી ત્રણ દિવસ માટે તલાવડી સર્કલથી રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સુધી સવારે 7થી સવારે 11 વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ

  • January 17, 2023 

બારડોલી એસ.ડી.એમ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 19મી નાંરોજ બારડોલી તેમજ હરિપુરા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બારડોલી એસ.ડી.એમ. દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી તારીખ 17 થી 19 જાન્યુઆરી સુધી તલાવડી સર્કલથી રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સુધી સવારે 7થી સવારે 11 વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અપવાદરૂપ પોલીસ, હોમગાર્ડ, સરકારી કર્મચારીઓ અને ઇમરજન્સી વાહનો, વીવીઆઈપી વાહનોને છૂટ આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application