Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કામોના વિવિધ સ્થળો ઉપર કોરોના પ્રતિરોધક રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા

  • May 27, 2021 

તાપી જિલ્લામાં કોરોના મહામારીને નાથવા વહિવટી તંત્ર દ્વારા વેક્સિનેશન કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડવામાં આવી છે. જેમાં છેક છેવાડાના ગામના વ્યક્તિઓ પણ પોતાને મહામારીથી સુરક્ષિત કરી શકે તેવા શુભ આશય સાથે વિવિધ સ્થળોઓ અધિકારીઓ-કર્મચારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા રસીકરણ બાબતે પ્રવર્તમાન અફવાઓને દુર કરી સાચી સમજણ ઉભી કરવામાં આવી રહી છે. જેમાં ડોલવણ તાલુકાના પલાસીયા ગામ તથા ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામે મનરેગા યોજના અંતર્ગત ચાલી કામોના સ્થળો ઉપર મજુરોને રસીકરણ માટે તાલુકા વિકાસ અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપી પ્રતિરોધક રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

 

 

આ ઉપરાંત ડોલવણ તાલુકાના ગડત ગામે દુધમંડળી દ્વારા લોકોને કોરોના મહામારીને નાથવા રસીકરણની અનિવાર્યતા, ફાયદા અંગે લોકજાગૃતિ કેળવવામાં આવી હતી. કોરોનાની બીજી લેહેર ગામ સુધી પહોંચી છે ત્યારે ગામના તમામ લોકો કોરોના પ્રતિરોધક રસી મુકાવે તથા કોવિદ-૧૯ની તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે ખુબ જરૂરી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application