Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાકભાજીના વેપારીનું અજાણ્યા ઇસમોએ અપહરણ કરી મારમાર્યો, પોલીસે તપાસ હાથ ધરી

  • December 03, 2021 

નાની દમણના ખારીવાડ વિસ્તારમાં રહેતા સુનિલ રામબ્રિજ યાદવ (ઉ.વ.32) જે માર્કૈટમાં શાકભાજીની દુકાન ચલાવે છે અને જે ગત તા.28મી નવેમ્બરે સંદીપ પટેલ નામના ઇસમે ફોન કરીને દુનેઠા કોસ્ટલ હાઇવે ઉપર બોલાવ્યો હતો. ફરિયાદી સુનિલ યાદવ જ્યારે કોસ્ટલ હાઇવે ઉપર પહોંચ્યો ત્યારે હુન્ડાય વરના કાર નંબર જીજે/15/એડી/5409 કાર ત્યાં આવી હતી અને કારમાંથી ચાર ઇસમો ઉતરીને સુનિલ યાદવને જબરદસ્તી કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. દુનેઠા ક્વોરી નજીક સુનિલને લઇ જઇને ત્યાં ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ ડીઝાઇડર કારમાંથી આઠથી વધારે લોકો ઉતરીને લાકડા અને સળિયાથી સુનિલ ઉપર હુમલો કરી દીધો હતો. સુનિલને ગંભીર ઇજા પહોંચાડી ફરી કારમાં બેસાડીને સોમનાથ નજીક ઉતારી દીધો હતો.બનાવ અંગે સુનિલ યાદવે ગત તા.29મી નવેમ્બરે નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં સુનિલનું અપહરણ કરીને માર માર્યો હતો. દમણ પોલીસે આ કેસમાં મુખરમ ઓમકારનાથ સિંગ (રહે.રાણા સ્ટ્રીટ, નાની દમણ) અને સંદીપ રામજી ટંડેલ (રહે.ખારીવાડ)ના ઓની ધરપકડ કરી છે. જોકે, હજી મુખ્ય આરોપી ફરાર છે. અપહરણ અને મારામારી કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરીને તા.4થી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે વધુમાં જાણવા મળ્યું હતું કે, આરોપી દારૂની ખેપ મારતા હોવાનું પણ આશંકા છે જેને લઇ પોલીસે ક્યા કારણોસર અપહરણ કરવામાં આવ્યું હતું એ બાબતે તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application