નવસારીનાં કબીલપોર વિસ્તારમાં રહેતી શ્રમજીવી મહિલાને રૂ.૫ હજાર ૨૦ ટકાના દરે વ્યાજ આપી જબજસ્તી રૂપિયા કઢાવવા ધમકી આપનાર વ્યાજખોર સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાનુબેન રાજુભાઈ રાઠોડ (રહે.જામપીર મહોલ્લો, કબીલપોર, નવસારીની ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જેમને પતિની બીમારીના ઇલાજ માટે વિવેક અશ્વિન પ્રિયાસ્વામી થેવર (રહે.ચોવીસી ગામ,અમલેશ્વર એપાર્ટમેન્ટ, નવસારી) પાસેથી રૂ.૫ હજાર વ્યાજે લીધા હતાં. જેના બદલામાં વિવેકે રોજના ૨૦૦ રૂપિયા લેખે વસુલાત કરી હતી. જોકે વચ્ચે ભાનુબેનથી રૂપિયા ભરપાઈ નહીં થતા વિવેક થેવરે રૂપિયા નહીં આપશે તો વ્યાજ ઉપરાંત પેનલ્ટી લગાવીશ અને ફળિયામાં આવી જાહેરમાં બદનામ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે બાનુબેન રાઠોડે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર અશ્વિન થેવર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500